૧૧૯૪ : કુત્બ-ઉદ-દ્દીન (શહાબ-ઉદ-દ્દીન-ઘોરિ ના જનરલ) એ રાંદેર અને સુરત પર છાપો માર્યો.
૧૨૨૫ : કુફા ના આરબોએ રાંદેરમાં વસવાટ કર્યો.
૧૩૭૩ : મોહમ્મદ તુઘ્લાકને બરખાસ્ત કરવામાં આવ્યો અને સુરત ને લુંટવામાં આવ્યું.
૧૩૯૧ : મસ્તિક ખાનની સુરત અને રાંદેર ના ગવર્નર તરીકે નિમણુક કરવામાં આવી.
૧૪૯૬ થી ૧૫૨૧ : સુરતનું વ્યાપારીક આકર્ષણ.
૧૫૧૨ : પોર્ટુગલોએ સુરતને લુંટ્યુ અને આગ લગાડી દીધી.
૧૫૧૪ : બર્બોસાએ સુરતની મુલાકાત લીધી.
૧૫૪૬ : રાઓમીનાં સાફી તુર્ક ખુદાવંત ખાને સુરતના કિલ્લાનું બાંધકામ પુરું કરાવ્યું.
૧૫૭૩ : અકબરે સુરત પર ચડાઈ કરી અને નિર્ધારીત ભાગને જપ્ત કર્યા.
૧૬૦૮ : અંગ્રેજોનું પ્રથમ જહાંજ તાપી (સુરત) નાં મુખે આવેલ.
૧૬૧૨ : અંગ્રેજોએ વ્યાપાર અને વાણિજ્ય નાં હેતુસર સુરતમાં કોઠી ની સ્થાપના કરી.
૧૬૧૨ : અંગ્રેજો અને પોર્ટુગલો વચ્ચે તાપીના કિનારે યુદ્ધ થયું.
૧૬૧૪ : ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના કરવા માટેનો પરવાનો
૧૬૧૫ : સર થોમસ રોક એ સુરત ની મુલાકાત લીધી.
૧૬૧૬ : ડચ લોકો ને સુરતમાં કારખાનું ચાલુ કરવા માટેનો કામચલાઉ પરવાનો આપવામાં આવ્યો.
૧૬૧૮ : રાજકુમાર શાહજહાં સુરતનાં રાજ્યપાલ બન્યા.
૧૬૬૪ : શિવાજી મહારાજે સુરત પર સર્વ પ્રથમ વખત ચઢાઈ કરી.
૧૬૭૦ : શિવાજીએ સુરત પર બીજી વાર ચઢાઇ કરી.
૧૬૭૬ : મરાઠાઓએ પારનેરાનાં કિલ્લા પર કબ્જો જમાવ્યો.
૧૬૮૪ : સુરતમાં પ્લેગનો મોટો પ્રકોપ.